Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રણછોડરાયજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર :રાત્રીના12 કલાકે કૃષ્ણ ભગવાનના જન્મ સમયે મહા આરતી

દિવસભર આરતી અને દર્શન માટે ભાવિકો પડાપડી: ભક્તોએ દેવકી નંદનનો જયનાદ બોલાવ્યો

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ ડાકોરના રણછોડરાયજી મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિનની ભારે ઉત્સાહ સાથે ભાવિકોએ ઉજવણી કરી છે, રણછોડરાયજી મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને દિવસભર આરતી અને દર્શન માટે ભાવિકો પડાપડી કરી રહ્યા હતા. રાત્રીના 12 કલાકે કૃષ્ણ ભગવાનના જન્મ સમયે મહા આરતી કરવામાં આવી હતી. અને ભક્તોએ દેવકી નંદનનો જયનાદ બોલાવ્યો હતો.

(11:40 am IST)