Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

­­રખડતા ઢોરના આતંકથી વડોદરા અને અમદાવાદમાં બે યુવકનો ભોગ લીધો

સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ ખાતે રાત્રે બનાવ બન્યો હતો : અહીં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી વાહન ચાલકોને રસ્તા પર દોડતી ગાયો દેખાઈ ન હતી ઃ જેના પગલે 48 વર્ષીય જીગ્નેશ રાજપૂતે જીવ ગુમાવ્યો છે

વડોદરા: રખડતા ઢોર ને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને ત્રિરંગા રેલી દરમિયાન ગાયે અડફેટે લીધા હતા. હવે વડોદરામાં રખડતા ઢોરને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. વડોદરા મહાનગર પાલિકાની બેદરકારીએ એકનો ભોગ લીધો છે. રાત્રે રસ્તા પર બેસી રહેતા ઢોરને કારણે 48 વર્ષીય જીગ્નેશ રાજપૂત નામની વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં પણ રખઢતા ઢોરને પગલે એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ ખાતે રાત્રે બનાવ બન્યો હતો. અહીં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી વાહન ચાલકોને રસ્તા પર દોડતી ગાયો દેખાઈ ન હતી. જેના પગલે 48 વર્ષીય જીગ્નેશ રાજપૂતે જીવ ગુમાવ્યો છે. યુવકના નિધનથી તેમની પત્ની અને દીકરીએ સહારો ગુમાવ્યો છે.

(1:33 pm IST)