Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 258 નવા કેસ નોંધાયા:વધુ 637 દર્દીઓ સાજા થયા:આજે ત્રણ દર્દીઓના મૃત્યુ થયા : કુલ મૃત્યુઆંક 10.999 થયો :કુલ 12,53,998 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2,07,422 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 2553 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 258 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 637 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,53,998 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીઓના મૃત્યુ થયા છે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,999 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.93 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 2,07,422  લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,09,14,865 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 2553 એક્ટિવ કેસ છે. જેમાંથી 25 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2528 દર્દીઓ સ્ટેબલ છે.  .

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 258 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 81 કેસ નોંધાયા છે, જ્યારે બે દર્દીઓના મોત નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 46, રાજકોટ કોર્પોરેશનમાં 16,  સુરત 13, સુરત કોર્પોરેશન 11, ગાંધીનગર કોર્પોરેશન 10, મહેસાણા 10, સાબરકાંઠા 8, ભરૂચ 6, જામનગર કોર્પોરેશન 6, વલસાડ 6, અરવલ્લી 5, નવસારી 5, આણંદ 4, ગાંધીનગર 4, કચ્છ 4, રાજકોટ 3, અમદાવાદ 2, બનાસકાંઠા 2, ભાવનગર કોર્પોરેશન 2, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ 2, મોરબી 2, પંચમહાલ 2, વડોદરા 2, અમરેલી 1, દાહોદ 1, ખેડા 1, મહીસાગર 1 એમ કુલ 258 કેસ નોંધાયા છે

(10:25 pm IST)