Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

અમદાવાદના ચાંદખેડામાં બે શખ્શોએ યુવકને પેટના ભાગે રિવોલ્વર અડાડીને ધમકી આપી

હું ચાંદખેડાનો દાદા છું, ફરી દેખાયો તો જાહેરમાં ચોરાહા પર ગોળી મારી દઈશ

અમદાવાદના ચાંદખેડામાં ન્યુ સી.જી.રોડ પર શ્યામલ કોમ્પ્લેક્ષમાં બે શખસોએ યુવકને પેટના ભાગે રિવોલ્વર અડાડી ધમકી આપી હતી કે, હું ચાંદખેડાનો દાદા છું, ફરી દેખાયો તો જાહેરમાં ચોરાહા પર ગોળી મારી દઈશ. નવ દિવસ અગાઉ બનેલા બનાવ અંગે બનાવ અંગે ચાંદખેડા પોલીસે શુક્રવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાંદખેડામાં શ્યામવિલા બગલોમાં રહેતા અને યશરાજ એન્ટરપ્રાઈસના નામે ઝેરોક્ષની દુકાન ચલાવતા નરેશકુમાર ધરમસિંહ પરમારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મનોહરસિંહ શેખાવત અને નય એક સહિત બે જણા વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદીના મિત્રને ક્રેડિટ કાર્ડનું બીલ ભરવાનો સમય થઈ ગયો હોવાથી તેઓએ આ કામ કરતા વિનોદ શર્માને ગત તા 12મી ઓગસ્ટના રોજ ફોન કર્યો હતો. શર્માએ પોતે બહારગામ હોવાનું જણાવી તેઓના ભાગીદાર મનોહરસિંહ શેખાવતને ફોન કરવા કહ્યું હતું. નરેશે આ અંગે મનોહરસિંહને ફોન કર્યા પણ જવાબ મળ્યો ન હતો. દરમિયાન સાંજે મનોહરસિંહનો ફોન આવતા નરેશે મિત્રના ક્રેડિટ કાર્ડનું બિલ ભરવા માટે ફોન કર્યાનું અને તમે ફોન ના ઉપાડ્યો તેમ કહ્યું હતું. મનોહરસિંહે તું મને કોણ આમ કહેવાવાળો, મને ઓળખે છે. નરેશે ધંધાના કામ માટે ફોન કર્યાનું જણાવ્યું પણ મનોહરસિંહ ફોન કાપી નાખ્યો હતો.

આ વાતચીત બાદ થોડીવારમાં મનોહરસિંહ સહિત બે જણા યશરાજ એન્ટરપ્રાઇસમાં આવ્યા અને નરેશ કોણ તેમ પૂછ્યું હતું. નરેશે પોટણીનોલખ આપતા મનોહરસિંહ તેના પેટના ભાગે રિવોલ્વર અડાડી ધમકી આપી કે, હું ચાંદખેડાનો દાદા છું, તેમ કહી જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણ કરી અપશબ્દો બોલ્યા હતા. મનોહરસિંહ અને તેની જોડે આવેલા શખ્સે નરેશને મારમાર્યો હતો. મનોહરસિંહ ધમકી આપતા કહ્યું કે, હું તારો બાપ છું, ફરી દેખાયો તો ચોરાહા પર ગોળી મારી દઈશ. બાદમાં બન્ને ત્યાંથી નીકળી ગયા હતા.

(12:59 am IST)