Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા સાંસદ તેજસ્વી સૂર્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
નર્મદા જિલ્લામાં ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ રેલી સ્વરૂપે એમનું સ્વાગત કરાયું હતું.તિલકવાડા તાલુકાના સુરવા ગામ ખાતેથી એકતા દ્વાર કેવડિયા સુધી નર્મદા જિલ્લા યુવા મોર્ચા દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે સરદાર પટેલનો ભારતને એક કરવામાં સિંહફાળો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ અને તે સમયના જે પણ ફ્રીડમ ફાયટર હતા તેમનું એક મેમોરિયલ કેવડિયામાં બનાવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે કેવડિયામાં હજારો પ્રવાસીઓ આવે છે.જેને કારણે અહીંના આજુ બાજુના વિસ્તારોમાં પણ રોજગારી વધી છે.દેશમાં જે પણ ચૂંટણીઓ થાય છે જેમાં યુવા મોર્ચાની મહત્વની ભૂમિકા હોઈ છે.લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોઈ યુવા મોર્ચાનો મહત્વની ભૂમિકા હોય છે ખાસ કરીને ગુજરાતની ચૂંટણીમાં પણ મહત્વનો ભાગ રહ્યો છે.

(10:12 pm IST)