Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાજપીપળા શહેરના 43 તથા ગ્રામ્ય વિસ્તારના 30 મળી 73 ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન થશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં પાછળના વર્ષો કરતા આ વર્ષે કોરોના કાળના કારણે દુંદાળા દેવ ગણપતિજી ની સ્થાપના ઘણા ઓછા પ્રમાણમાં થઈ છે આમ તો શેરીઓ,ગલીઓ માં મંડપો અને ડીજે સાથે જે પ્રતિમાઓ મુકાતી હતી તેના કરતાં ભક્તોએ પોત પોતાના ઘરોમાં સ્થાપિત કરેલી વધુ પ્રતિમા હશે તેમ જોવા મળ્યું હતું.
જોકે આજે આનંદ ચૌદશે ગણપતિ બાપાની વિદાઇ નો દિવસ હોવાથી રાજપીપળા શહેર માંથી તમામ પ્રતિમા નું વાજતે ગાજતે પણ કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે વિસર્જન થનાર હોય આ બાબતે ટાઉન પી.આઈ મોહનસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે આજના અંતિમ દિવસે રાજપીપળા શહેર માંથી 43 અને ગ્રામ્ય વિસ્તરણ માંથી 30 મળી કુલ 73 પ્રતિમાઓનું વિસર્જન થશે એ માટે ટાઉન પોલીસે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દીધો છે.

(10:16 pm IST)