Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સુરતના સચિન વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

સુરત : શહેરનાસચીનના કપલેથાગામમાં કુવામાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની રવિવારે બપોરે લાશ મળી હતી. તેનું ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યું હતુ.

 પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ સચીનના કપલેથા ગામમાં પિપલીયુ ફળિયામાં રહેતો 40 વર્ષીય હરેશ કાન્તીભાઇ રાઠોડ તા.16મી રાત બાદ ઘરે નહી પહાંચતા તેના પરિવારજનોએ શોધખોળ આદરી હતી. તે પાંડેસરાની કંપનીમાં મજુરી કામ કરતો હતો અને ત્યાં પણ કોઇ વખત રહેતો હતો. આજે સવારે તેમના ઘર પાસે કોઇ મહિલા કચરો નાખવા ગઇ હતી. તે વખતે  તેની નજર નજીકમાં આવેલા કુવામા પડતા તેનો મૃતદેહ દેખાયો હતો. અંગે પોલીસને જાણ થતા સ્થાનિક લોકોની મદદથી મૃતદેહ બહાર કાઢીને નવી સિવિલમા ખસેડયો હતો. જ્યાં તેનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ થયુ હતુ. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. અંગે સચીન પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:24 pm IST)