Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

નડિયાદમાં રખડતા આખલાએ એક શખ્સને શિંગડું મારતા મૃત્યુ

નડિયાદ:શહેરમાં રખડતા આખલાએ નવા વર્ષે આતંક મચાવ્યો હતો.શહેરમાં આખલાના આતંકથી એક વ્યક્તિનુ મૃત્યુ નિપજયુ હતુ.પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ મરીડા રોડ ઉપર આવેલ કૃષ્ણ જીવન સોસાયટી પાસેથી અમરીશભાઇ બારોટ પસાર થઇ રહ્યા હતા.આ સમયે એક આતંકી આખલાએ અમરીશભાઇને શીંગડે ચઢાવતા તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની જાણ નડિયાદ ફાયરબ્રિગ્રેડ અને પાલિકા પશુવિભાગટીમને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને બે કલાકની ભારે જહેમત બાદ આખલાને પકડી પાડયો હતો.આ બાદ સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(5:10 pm IST)