Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજ્યમાં કોરોના વકર્યો : નવા 1420 કેસ નોંધાયા : વધુ 1040 દર્દીઓ સ્વસ્થ થયા :કુલ કેસનો આંક 1,94,402 થયો :કુલ 1,77,515 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 7 લોકોના મોત : મૃત્યુઆંક 3837 થયો

આજે સૌથી વધુ અમદાવાદમાં 327 કેસ,સુરતમાં 246 કેસ,વડોદરામાં 155 કેસ, રાજકોટમાં 137 કેસ,ગાંધીનગરમાં 86 કેસ, બનાસકાંઠામાં 54 કેસ, ,મહેસાણામાં 52 કેસ,પાટણમાં 49 કેસ,જામનગરમાં 42 કેસ, મહીસાગરમાં 27 કેસ, મોરબીમાં 24 કેસ,જૂનાગઢમાં 22 કેસ અમરેલીમાં 21 કેસ નોંધાયા :રાજ્યમાં હાલ 13,050 એક્ટિવ કેસ

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 1040 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1420 નવા  કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3837 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 13,050 એક્ટિવ કેસ છે, જ્યારે 1,77,515 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,958 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1, 94,402 સુધી પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, પાટણમાં 1,રાજકોટ કોર્પોરેશનમાં 1  મળીને કુલ 7 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1420 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 327 કેસ,સુરતમાં 246 કેસ,વડોદરામાં 155 કેસ, રાજકોટમાં 137 કેસ,ગાંધીનગરમાં 86 કેસ, બનાસકાંઠામાં 54 કેસ, ,મહેસાણામાં 52 કેસ,પાટણમાં 49 કેસ,જામનગરમાં 42 કેસ, મહીસાગરમાં 27 કેસ, મોરબીમાં 24 કેસ,જૂનાગઢમાં 22 કેસ અમરેલીમાં 21 કેસ નોંધાયા છે

 રાજ્યમાં આજે કોરોનાના 67,901 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 71,01,057 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં સાજા થવાનો દર 91,31  ટકા છે

(7:01 pm IST)