Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદમાં કરફ્યુ દરમિયાન CAના પરીક્ષાર્થીઓને મળી છૂટ

વિદ્યાર્થીઓ આઈડી કાર્ડ બતાવી પરીક્ષા આપવા જઈ શકશે મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરી માહિતી આપી

અમદાવાદઃ અમદાવદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન અમદાવાદથી સીએની પરીક્ષાના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આપેલ છે

વિદ્યાર્થીઓ આઈડી કાર્ડ બતાવી પરીક્ષા આપવા જઈ શકશે. સીએ, એનઆઈસી, સીએસઆઈઆરના વિદ્યાર્થીઓ માટે રવિવારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદમાં કર્ફ્યૂના કારણે પરીક્ષા આપનાર ઉમેદવારમાં મુંજવણ જોવા મળી હતી. ત્યારે પરીક્ષા અંગે મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરી માહિતી આપી હતી.

આઇસીએઆઈ [ICAI] અમદાવાદના અધ્યક્ષ સીએ ફેનીલ શાહે ઉમેર્યું હતું કે, અમદાવદ શહેરમાં 19 સેન્ટરો પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં આશરે 2500 થી 3000 વિદ્યાર્થીઓ 21 મીએ સીએ ફાઇનલ અને 22 મીએ ઇન્ટરમીડિએટ માટે પરીક્ષા આપશે.

આઇસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય સી.એ. અનિકેત તલાટીએ ઉમેર્યું હતું કે, નવેમ્બર 2020 આઇસીએઆઈની પરીક્ષાઓ 21 નવેમ્બર 2020 થી વૈશ્વિક સ્તરે 1085+ પરીક્ષા કેન્દ્રોમાં યોજાનાર છે. COVID-19 રોગચાળાની અસરને સમજતાં, ICAI એ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે 21 મી જાન્યુઆરી 2021 થી મે 2021 ની પરીક્ષા ઉપરાંત અલગ પરીક્ષા પણ લેવામાં આવશે.

આઇ.સી.એ.આઈ. અમદાવાદના અધ્યક્ષ સી.એ.ફેનીલ શાહે વધુમાં ઉમેર્યું કે, COVID-19 ની કોઈ અસર થતી વિદ્યાર્થીઓને, આઇસીએઆઈએ જાહેરાત દ્વારા સુવિધા આપી છે જેમાં તે તેની પરીક્ષાના અંતિમ દિવસ સુધી ગમે ત્યારે બહાર [OPT OUT] નીકળી શકે છે અને આગામી પરીક્ષા (જાન્યુઆરી 2021) માં હાજર રહેશે અથવા મે 2021) જ્યારે તેની યોગ્ય મુક્તિ અને ફીના શાખને આગળ ધપાવો. નાપસંદ કરવા માટે, કોઈ દસ્તાવેજ સબમિટ કરવો જરૂરી નથી (ફક્ત સ્વ-ઘોષણા જરૂરી) અને તે માટે ઓનલાઇનવિંડોની સુવિધા આપવામાં આવી છે.

(11:00 pm IST)