Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સુરતના કતારગામમાં આર્થિક મુશ્કેલીથી કંટાળી યુવતીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના કતારગામમાં બુધવારે રાત્રે યુવતીએ વળી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જોકે તેને આર્થિક મુશ્કેલી પડતી હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. બીજા બનાવમાં લિંબાયતમાં યુવાને બુધવારે બેકારીના લીધે નાણાકીય તકલીફ પડતી હોવાથી ટેન્શનમાં આવી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

નવી સિવિલ થી મળેલી વિગત મુજબ કતારગામના ડભોલી ચાર રસ્તા પાસે વૃંદાવન સોસાયટી પાસે વીરાના નગરમાં રહેતી 22 વર્ષીય મિત્તલબેન અશોકભાઈ કણઝરીયા બુધવારે રાત્રે ઘરમાં ગળેફાંસો ખાતી હતી ત્યારે તેના પરિવાર અને સંબંધીઓની નજર પડતા તરત તેને ઉતારી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી હતી. 

તેમના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે મિતલબેન મૂળ બોટાદના બરવાડાના વતની હતા. તે ઘરમાં સિલાઈ કામ કરતી હતી. તેનો એક ભાઈ છે. તેના પિતા કડિયા કામ કરતા હતા. જોકે તેની નાણાકીય તકલીફ પડતી હોવાથી માનસિક તાણ અનુભવતી હતી. જેને લીધે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:06 pm IST)