Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ડુંગળી સહાયની મુદતમાં રાજ્ય સરકારે એક માસનો વધારો કરવા નિર્ણય કર્યો :ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ સમય મર્યાદા વધારવા માંગ કરી હતી

અમદાવાદ :  સમગ્ર ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમા સૌરાષ્ટ્ર અને તેમા પણ ભાવનગર જિલ્લો બીજા નંબરે આવે છે. ગુજરાતમા ગત વર્ષે આવેલા વાવાજોડાના કારણે ડુંગળીના ઉત્પાદન કરતા ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું હતું. આ મામલે સરકાર પાસે ખેડૂતોએ સહાયની માંગ કરી હતી. જેને પગલે સરકારે પણ ખેડૂતોની પરેશાની પરખી સરકારે તે વાત સ્વીકારીને 1 માસથી ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે કિલોએ 2 રૂપિયા અને થેલીએ 100 સહાયની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ સમય મર્યાદા વધારવા માંગ કરી હતી.

જેનો પણ આજે સરકારે સ્વીકાર કરી લીધો છે. અને તેની મુદત વધુ 1 માસ એટલે કે મેં માસ સુધીની વધારવાનું અને તે મુજબ સહાય ચૂકવવાનું નક્કી કરાયું છે. સરકારના નિર્ણયને ખેડૂતોએ આવકર્યો છે. સરકારે આ જાહેરાત કરતા હવે એપ્રિલ માસ બાદ મેં માસમા પણ જે ખેડૂતોએ સસ્તા ભાવે ડુંગળી વહેંચી છે તેને પણ સહાયનો લાભ મળશે. 1 માસની સમય મર્યાદા વધારે મળતા હવે ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સમયે ભાવ શરૂઆતથી જ ગત વર્ષ કરતાં નીચા રહ્યા છે. તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં પુષ્કળ વાવેતરને લઈને APMC ખાતે મોટા પાયે ડુંગળી ઠળવાઈ તેવી સંભાવના છે ત્યારે ૨૨૫૦ લાખ કિલોના રૂપિયા બે લેખે ૪૫ કરોડ જેટલી સહાય ચૂકવાશે. ડુંગળી પક્વતા ખેડૂતોને પાકના વ્યાજબી ભાવ ન મળતા ઘણા સમયથી તેઓ ભાવ વધારાની માંગ કરી રહ્યા હતા અનેક રજૂઆતો બાદ રાજ્ય સરકારે આ પાક લેતા 35 હજાર ખેડૂતો માટે કિલો દીઠ 2 રૂપિયાનો ભાવ વધારાનો આદેશ સંબંધિત તમામ એપીએમસીને કરી દીધો છે.

(12:42 am IST)