Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

૮મા વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાઍ ભૂપેન્દ્રભાઇ પટેલે ‘વિશ્વ યોગ દિવસ - સામાન્ય યોગ અભ્યાસક્રમ’ પુસ્તિકાનું વિમોચન કર્યુ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયાની પ્રેરક ઉપસ્થિતિ : આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આયુષ વિભાગના નિયામક ડો. જયેશ પરમાર સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિ : આયુષ નિયામકની કચેરી દ્વારા તૈયાર કરાયેલ પુસ્તકમાં અત્યારસુધી યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ અંગેની માહિતી, યોગનો પરિચય, પરંપરાગત શાખાઓ, અભ્યાસ, પ્રાણાયામ માટેની સામાન્ય બાબતોનો સમાવેશ

રાજકોટ તા. ૨૧ : મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં  આઠમાં વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાઍ આયુષ નિયામકની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ વિશ્વ યોગ દિવસ-સામાન્ય યોગ અભ્યાસક્રમપુસ્તિકાનું મુખ્યમંત્રી કાર્યાલય ખાતેથી વિમોચન કરવામાં આવ્યું હતુ. 

યોગ પુસ્તિકા વિમોચન પ્રસંગે રાજયનાનાણા મંત્રી  કનુભાઇ દેસાઇ, આદિજાતિ વિકાસ મંત્રી  નરેશભાઇ પટેલ તેમજ આરોગ્ય રાજય મંત્રી નીમિષાબેન સુથાર, શહેરી વિકાસ રાજય મંત્રી વિનોદભાઇ મોરડીયા ઉપસ્થિત રહ્ના હતા. 

આયુષ નિયામકની કચેરી દ્વારા તૈયાર કરાયેલ યોગ અભ્યાસક્રમ પુસ્તકમાં અત્યારસુધી યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ અંગેની માહિતી, યોગનો પરિચય, યોગ્યની ભવ્ય વારસો, પરંપરાગત શાખાઓ, અભ્યાસ, પ્રાણાયામ માટેની સામાન્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

તદઉપરાંત વિશ્વ યોગ દિવસ નિમિત્ત્ે યોગ પ્રોટોકોલના સૂક્ષ્મ વ્યાયામ, આસનો, પ્રાણાયામ જેવી બાબતોને પણ આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. 

યોગ અભ્યાસની રીત સાથે તેના ફાયદા, સૂચનો, સાવચેતી વગેરેથી સમાવિષ્ટ આ પુસ્તક અબાલવૃધ્ધોના તંદુરસ્ત સ્વાસ્થય માટે આશીર્વાદરૂપનીવડશે. 

મુખ્યમંત્રી શ્રીના કાર્યાલય ખાતે પુસ્તક વિમોચન પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આયુષ વિભાગના નિયામક ડો. જયેશ પરમાર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.

(10:19 am IST)