Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

નવસારીના ગણદેવીના દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા : અંબિકા નદીના કાંઠે આવેલા 11 ગામોને એલર્ટ

જૂનાં પાણીના નિકાલ માટે ડેમના 40 દરવાજા પૈકી 20 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું.

નવસારીના ગણદેવીના દેવધા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે અંબિકા નદીના કાંઠે આવેલા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવા નીર આવવાની શરૂઆત થતા સંગ્રહ કરેલાં જૂનાં પાણીના નિકાલ માટે ડેમના 40 દરવાજા પૈકી 20 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું.હતું

નવસારી જિલ્લાની બે નગર પાલિકાઓને સિંચાઈ અને પીવાનું પાણી દેવધા ડેમમાંથી આપવામાં આવે છે. તંત્ર ચોમાસામાં ઉપરવાસથી આવતા પાણીના કારણે દેવધા ડેમ પર પાણીની આવક વધી ન જાય તેની સંપૂર્ણ કાળજી લઈને બેઠું છે. નવસારી જિલ્લા પર મહેરબાન થયેલો વરસાદ ગત ચોમાસે ખુશહાલી લાવ્યો હતો. જેના કારણે નવસારી જિલ્લો હરિયાળો જિલ્લો બન્યો હતો

(9:39 pm IST)