Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

એએસઆઈની પુત્રીને સસરા ત્રાસ આપતા હતા

ASIની પુત્રીના ગુમ થવા અંગે સાસરિયા સામે ફરિયાદ : કૃષ્ણનગર પોલીસે પીડિત મહિલાના પોલીસકર્મી સસરા પ્રતાપદાન ગઢવી સહિત ૮ લોકો સામે તપાસ શરૂ કરી]

અમદાવાદ, તા.૨૧ : રાજ્યમાં પોલીસ બેડા સાથે સંકળાયેલા બે કેસ હાલ ખૂબ ચર્ચાસ્પદ બની રહ્યા છે. જેમાં વડોદરામાં પીઆઈ દેસાઈના પત્ની સ્વિટી પટેલનો ભેદી સંજોગોમાં ગુમ થવાનો કેસ અને બીજો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈની પુત્રી સોનલ ગઢવીનો ગુમ થવાનો કેસ. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ગીરીશદાન ગઢવીની પુત્રી સોનલ ગઢવીના ૨૦૦૭માં ધર્મેન્દ્રદાન ગઢવી સાથે થયા હતા. જોકે એએસઆઈના દીકરીએ સાસરિયા તરફથી ત્રાસ હોવાની ફરિયાદ સાથે છેલ્લા ઘણા સમયથી પિતાના ઘરે રહેતા હતા. પરંતુ તેમ છતાં પતિ દ્વારા સતત પરેશાન કરવામાં આવતા હોવાના આરોપ સાથે સોનલ ગઢવી ઘર છોડી આપઘાત કરવા માટે નીકળી ગયા હતા.

ઘર છોડતા સમયે સોનલે પિતાને વોઇસ મેસેજ અને ઘરે સુસાઈડ નોટ લખી હતી જે મળી આવી હતી. ૧૫ જુલાઈના રોજ રીતનો ઉલ્લેખ કરીને ઘર છોડી ગયેલા સોનલ ગઢવીની હજી સુધી કોઈ ભાળ મળી નથી. પાંચ દિવસથી શોધખોળ છતાં સોનલ મળી આવતા પિતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હવે પિતાને સંબોધીને દીકરીએ મોકલેલી ઓડિયો ક્લિપ બહાર આવી છે. જેમાં મહિલાએ પોતાના સસરા પર આરોપ મુકતા કહ્યું છે કે તેઓ હું આખા પોલીસ સ્ટેશનનો રાજા છું અને હું કહું એમ થાય છે, તારી શું હેસિયત છે, તું તો નોકરાણી છે કહી ત્રાસ આપતાં હતાં. ઉપરાંત સોનલને સાસરિયાઓ અને પતિ વિરુદ્ધ ગંભીર આરોપ કર્યા છે. સોનલનો આરોપ છે કે પતિ મોબાઈલમાં ગંદી ક્લિપ જોઈ તેવું કરવા મજબુર કરતો હતો. તેમજ મકાન નામે કરવા બાબતે પણ ત્રાસ આપી સસરા કહેતા હતાં કે પોતે પીઆઇ હોવાથી બધા દાવપેચ જાણે છે અને એવો નિકાલ કરીશું કે અમારા નામ નહીં આવે તેમ કહીને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા.

મામલે કૃષ્ણનગર પોલીસે પીડિત મહિલાના પોલીસકર્મી સસરા પ્રતાપદાન ગઢવી સહિત લોકો સામે શારીરિક-માનસિક ત્રાસ સહિતનો ગુનો નોંધી તપાસ રૂ કરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સોનલ ગઢવીના લગ્ન ૨૦૦૭માં ધર્મેન્દ્રદાન ગઢવી રીતરિવાજ મુજબ થયા હતા. સોનલા પિતા એએસઆઈ ગીરીશદાન ગઢવીએ દિકરીને લગ્નમાં ૪૦ તોલા સોનું અને રોકડ રુપિયા આપ્યા હતા. સોનલ લગ્ન પછી તેના પતિ, સસરા પ્રતાપદાન, સાસુ કૈલાશબેન, દિયર શૈલેષ, નણંદ મીનાક્ષી સહિત લોકો સાથે સયુંકત કુટુંબમાં રહેતી હતી.

મહિલાના પિતા દ્વારા દાખલ ફરિયાદમાં આગળ જણાવાયું છે કે તેમની પુત્રીનું લગ્નજીવન બે વર્ષ સુધી સારું ચાલ્યું હતું. પરંતુ પ્રથમવાર ગર્ભવતી થઈ ત્યારે મિસકેરેજ થયું હતું, જે સાસરિયાને ગમ્યું હતું. જોકે ૨૦૧૧માં ફરી ગર્ભવતી થતાં દીકરીનો જન્મ થયો હતો. જે બાદ સાસરિયાઓનું વર્તન બદલાઈ ગયું હતું. સોનલના સાસુ- સસરાને પહેલા ખોળે દીકરો જોઈતો હતો તેમ કહીને પરિણીતાને મેણા ટોણા મારવાનું શરું કર્યું હતું. જે પછી ફરી ગર્ભવતી થઈ અને વખતે દીકરાનો જન્મ બાદ તેઓ કલોલ ખાતે રહેવા ગયા હતા. જ્યાં અવારનવાર પરિણીતાને પોતાના પિયરથી જુદો જુદો સામાન લઈ આવવા માટે કહેવામાં આવતું હતું.

ફરિયાદમાં આગળ જણાવાયું છે કે કલોલમાં રહેવા આવ્યા પછી બીજી નણંદ અને નણદોઈ પણ સાથે રહેવા આવી ગયા હતા અને મહિલા પાસે નોકરાણીની જેમ કામ કરાવતાં હતા. તમામ ભેગા મળી માનસિક ત્રાસ આપતા હતા. બાદમાં તેઓ અમદાવાદના રામોલ ખાતે રહેવા આવ્યા હતાં. જ્યાં સોનલના પતિ ધર્મેન્દ્રએ ધંધો રૂ કર્યો હતો. જેમાં લાઇટ બિલના ૫૦ હજાર રૂપિયા સોનલને તેના પિતા પાસેથી લાવવાનું કહી મારઝૂડ કરી સોનલને કાઢી મુકતાં બંને બાળકોને લઈ પિયર જતી રહી હતી. જોકે થોડા દિવસ બાદ પતિ ઘરે આવીને બે સંતાનો પૈકી દીકરાને જબરજસ્તી લઈને જતો રહ્યો હતો. જેથી દીકરા માટે સોનલ રુ. ૫૦૦૦૦ લઈને પરત સાસરીમાં રહેવા માટે આવી ગઈ હતી.

પોલીસ ફરિયાદમાં આગળ જણાવાયું છે કે સોનલે દેરાણીને પણ સાસરિયાંઓ દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ મૂક્યો છે. તેમજ સસરા કડીમાં પીઆઈ હતા ત્યારે એસીબીના ટ્રેપમાં પકડાઈ જતા સાસરિયાઓ 'તું અભાગણ છે અને તારા પગલાં સારા નથી કહી મહેણાં ટોણાં મારતા હતા.'

રીતે ત્રાસ આપતા છેવટે કંટાળીને સોનલ પિયરમાં આવી ગઈ હતી. ૧૫ જુલાઈના રોજ ઘર છોડી જતી રહી હતી. ઘરમાંથી બે પાનાંની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. બાદમાં ઓડિયો ક્લિપ મોકલી સાસરિયાના ત્રાસથી આપઘાત કરવા જતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સોનલનું છેલ્લું લોકેશન દૂધરેજ કેનાલ મળ્યુ હતું જોકે આજદિન સુધી સોનલ ગઢવીની કોઈ ભાળ મળી નથી.

(7:50 pm IST)