Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કરજણ નદીનું પાણી અસ્વચ્છ : મિત ગ્રુપ દ્વારા ચાણોદ નર્મદા નદીમાં 450 ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગણપતિ વિસર્જન દિવસે રાજપીપલા તથા ચાણોદ  મિતગ્રુપ દ્વારા પવિત્ર નર્મદા નદીમાં લગભગ 450 જેટલી નાની મોટી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
 કરજણ નદીનુ પાણી ચોખ્ખુ ન હોવાથી પવિત્ર ગણેશજીની મૂર્તિનું વિસર્જન નર્મદા નદીમા થાય તેમ વિચારી રાજપીપલા મિતગ્રુપના પ્રમુખ જીગ્નેશ ભાઈ વસાવાએ લોકોની આસ્થાને ધ્યાનમા લઈ પવિત્ર માં નર્મદા નદીમાં વિસર્જન કરવાનું વિચાર્યું જેમાં ભક્તોને પણ ઉત્સાહ આવ્યો અને રાજપીપીપળામાંથી ઠેર ઠેરથી નાની મોટી થઈ 450 જેટલી મૂર્તિઓ પવિત્ર નદીમાં ચાણોદ મિતગ્રુપ ના સહકારથી નાવડીમાં નદીની વચ્ચે લઈ જઈ  વિસર્જિત કરી હતી.

(11:45 pm IST)