Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાનો ભાદરવી પૂનમનો અવસર : સાત દિવસમાં 6 લાખથી વધુ માઇભક્તોએ મા ના દર્શન કર્યા

46 લાખથી વધુ ભંડારામાં આવક: કેટલાંક માઇભક્તોએ સોનાનું પણ દાન કર્યું

અંબાજી :  યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાનો ભાદરવી પૂનમનો અવસર નિર્વિઘ્ને પૂર્ણ થયો છે. સાત દિવસમાં 6 લાખથી વધુ માઇભક્તોએ મા ના દર્શન કર્યા છે, જયારે  46 લાખથી વધુ ભંડારામાં આવક થઈ છે. કેટલાંક માઇભક્તોએ તો સોનાનું પણ દાન કર્યું છે. જોકે અવસર નિર્વિઘ્ને પૂર્ણ થતાં પોલીસ પરિવાર અને વહીવટી તંત્રે ધ્વજા ચડાવીને મા અંબાનો આભાર માન્યો છે.

(12:44 pm IST)