Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ધારાસભા સત્ર પૂર્ણ થાય એટલે તુરત આઇ.એ.એસ. કેડરની બદલીનો ઘાણવો

આઇ.પી.એસ. અને જી.એ.એસ. કેડરમાં પણ તોળાતી બદલી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૧: ગુજરાત વિધાનસભાનું આ સત્ર પૂર્ણ થયા બાદ આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી ૧૮૨ વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થાય તેવી પુરી સંભાવના છે.

બીજી તરફ સરકાર વિધાનસભાની ચૂંટણીમાં સરકારને અનુકૂળ રહે તેવા કલેકટરો, ડી.એસ.પી. તેમજ ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓને મુકવાની કામગીરી અંગે ગંભીર વિચારણા કરી રહી છે.

સત્ર પૂર્ણ થતા ટુંક સમયમાં આ માનીતા અધિકારીઓની બદલીના હુકમો કરનાર છે. આ ઉપરાંત જે અધિકારીઓને ત્રણ વર્ષ કરતા વધારે સમય એક જ જગ્યાએ થયો હોય તેવાની પણ બદલી કરવામાં આવનાર છે. આઇ.એ.એસ. ઉપરાંત જી.એ.એસ. અને આઇ.પી.એસ. કેડરમાં પણ બદલી આવશે.  ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ પણ કેટલીક બદલીઓ કરવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી કરી છે. ચૂંટણી પંચે ચૂંટણી સંદર્ભની જરૃરી બદલીઓ કરવા સરકારને ૩૦ સપ્ટેમ્બર સુધીની મહેતલ આપી છે

(1:31 pm IST)