Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ડાબરે ૩૦થી વધુ આયુર્વેદિક જડીબુટ્ટી સાથે વેદિક ટી લોન્‍ચ કરી

અમદાવાદઃ ભારતની અગ્રણી આયુર્વેદક અને નેચરલ હેલ્‍થકેર કંપની ડાબર ઈન્‍ડિયા લિમિટેડે ડાબર વેદિક ટીના લોન્‍ચ સાથે પ્રિમિયમ બ્‍લેક ટી માર્કેટમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. ૩૦થી વધુ આયુર્વેદિક જડીબુટ્ટીના ગુણો ધરાવતી ડાબર વેદિક ટી અનેક આરોગ્‍ય લાભ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્‍તિ વધારવામાં મદદ કરે છે. ડાબર વેદિક ટીમાં તુલસી, આદુ, તજ વગેરે જેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ સમાવિષ્ટ છે.આ સંપૂર્ણ મિશ્રણ શરીરને ફરીથી ઊર્જા, તણાવ દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્‍તિ વધારે છે, ડાબર વેદિક ટી જે ઈ-કોમર્સ માર્કેટપ્‍લેસ ફિ્‌લપકાર્ટ પર લોન્‍ચ થઈ છે તે ત્રણ એસકેયુમાં ઉપલબ્‍ધ થશે, ૧૦૦ ગ્રામના રૂ. ૬૦, ૨૫૦ ગ્રામના રૂ. ૧૫૦ અને ૫૦૦ ગ્રામના રૂ. ૨૯૫.

આ લોન્‍ચ અંગે ડાબર ઈન્‍ડિયા લિમિટેડના માર્કેટિંગ હેડ-હેલ્‍થ સપ્‍લીમેન્‍ટ, શ્રી પ્રશાંત અગ્રવાલે જણાવ્‍યું હતું કે ગયા વર્ષે ટી બેગ ફોર્મેટમાં ડાબર વેદિક સુરક્ષા ટીના સફળ લોન્‍ચિંગ પછી અમે દેશભરના ચાના ચાહકો માટે અમારી લેટેસ્‍ટ પ્રોડક્‍ટ ડાબર વેદિક ટી- પેકેજડ બ્‍લેક ટી માં આસામ, નીલગિરિ અને દાર્જિલીંગની વિશેષ ચા ની પત્તીનું મિશ્રણ હોવાનું યાદીના અંતમાં જણાવેલ.

(4:20 pm IST)