Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં નિવૃત શિક્ષકે અગમ્ય કારણોસર ફાસો ખાતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: વાઘોડિયા રોડ પર રહેતા નિવૃત્ત શિક્ષકે આજે સવારે ઘરે બેડરૃમમાં જ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી  લીધો હતો.જે અંગે બાપોદ  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેરના વાઘોડિયા રોડ દ્વારકાનગરી  પાસે કૃષ્ણકુંજ - ૨ માં  રહેતા કનુભાઇ ચીમનભાઇ વસાવા શિક્ષક તરીકે નોકરી કરતા હતા.ચાર વર્ષ પહેલા તેઓ નિવૃત્ત થઇ ગયા હતા.આજે સવારે તેમના  પત્ની અને  પુત્રી ઘરે જ હતા.તે સમયે ઉપરના માળે બેડરૃમમાં જઇને તેઓએ પંખા પર નાયલોનની દોરીનો ગાળિયો બનાવી ફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું.તેમના પત્ની ઉપરના માળે ગયા ત્યારે આપઘાતની જાણ થઇ હતી.બનાવ અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા  એ.એસ.આઇ.અર્જુનસિંહે સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે,કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નહી  હોવાથી આપઘાતનું કારણ જાણી શકાયંે નથી.તેમનો પુત્ર ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે.

(5:23 pm IST)