Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પૂ.જલારામબાપાની જન્મજયંતિ ૧૧ નવેમ્બર ગુરૂવારે ઉજવાશે : સત્તાવાર જાહેરાત

પૂ. જલારામબાપાની આગામી જન્મજયંતિ ૧૧ નવેમ્બર ૨૦૨૧ના ગુરૂવારના રોજ ઉજવાશે તેમ જલારામ મંદિરના મહંત પૂ.રઘુરામબાપાની આજ્ઞાથી જાહેર થયુ છે : ૨૨૨મી જન્મજયંતિ ૧૦મી નવેમ્બરે ઉજવાશે કે ૧૧મી નવેમ્બરે ઉજવાશે તે અંગે અસમંજસ પ્રવર્તતી હતી. દિવાળી અને નૂતન વર્ષ પછી કારતક સુદ સાતમના દિવસે પૂ.જલારામબાપાની જન્મજયંતિ ઉજવાતી હોય છે, પરંતુ આ વખતે સાતમનો ક્ષય હોય અને સાતમ આઠમ સાથે આવતી હોય ૧૧-૧૧-૨૦૨૧ના રોજ પૂ.જલારામબાપાની ૨૨૨મી જન્મજયંતિ ઉજવાશે તેવી સત્તાવાર જાહેરાત થઈ છે.

(1:18 pm IST)