Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

બારખાડી ગામમાં અલકેશહસિહ ગોહિલ સેવા ટ્રસ્ટ દ્વારા પંચ દિન સેવા યજ્ઞ નિમિત્તે શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના બારખાડી ગામમાં આજરોજ અલ્કેશસિંહ જે. ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંચ દિન સેવા યજ્ઞ નિમિત્તે આજના પ્રથમ દિવસે પછાત વર્ગના શિક્ષણ ઉત્સુક બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી ત્યારે આ સેવાકાર્ય માં સ્વામિનારાયણ સંપ્રદાયના સિધ્ધેશ્વર સ્વામી , નગર પાલિકા સદસ્યો, રાજપૂત યુવક મંડળ ના સભ્યો, તેમજ અલકેશસિંહ ગોહિલના પુત્ર રાજદીપસિંહ ગોહિલ તેમજ પરિવારના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સતત પાંચ દિવસ ના આ પંચ દિન સેવા યજ્ઞ માં આગામી દિવસોમાં.. તારીખ: ૨૨/૧૦/૨૦૨૧ - રેશન કીટ વિતરણ,તારીખ : ૨૩/૧૦/૨૦૨૧ - ધાબળા વિતરણ તારીખ : ૨૪/૧૦/૨૦૨૧ - બ્લડ ડોનશન કેમ્પ રાજપૂત વાડી, રાજપૂત ફળિયા ખાતે યોજાશે,તારીખ : ૨૫/૧૦/ ૨૦૨૧,દત્તબાવની પાઠ,કેન્ડલ માર્ચ અને પ્રસાદી અલ્કેશસિંહ ગોહિલના નિવાસસ્થાને, રાજપૂત ફળિયા ખાતે થશે.

(10:47 pm IST)