Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજપીપળા દરબાર રોડ સ્થિત ગાયત્રી મંદિરે નોમ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ પર આવેલા ગાયત્રી મંદિરમાં આજરોજ મહા માસની નોમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી આ મંદિર ખાતે યતીકાન્તભાઈ જોશીના પરિવારજનો દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવે છે.જેમાં આજરોજ રખાયેલા નવચંડી માં સાંજે શ્રીફળ હોમાયું હતું.ત્યારબાદ ભાવિક ભક્તોને પ્રસાદી આપવામાં આવી હતી.

(10:18 pm IST)