Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

અમદાવાદમાં કોરોના ફરી વકરવાનો ભય! : ટેસ્ટિંગ બુથ ફરી ઉભા કરાયા

અમદાવાદ સહિત દેશભરમાં કોરોના ફરી વકરવાની દહેશત છે. તેથી શહેરમાંથી કાઢી નાંખવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમ પાછા ઊભા કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરાનાએ માથું ઊંચક્યું. અમદાવાદમાં 68 સહિત રાજ્યમાં 283 કેસ નોંધાયા અને પંચમહાલ જિલ્લામાં એકનું મોત નીપજ્યું હતું.

 કોરોનાની શક્યતા જોતા અમદાવાદ શહેરમાં કાઢી નાંખવામાં આવેલા ટેસ્ટિંગ ડોમ જોધપુર ડીમાર્ટ, પાલડી, નારણપુરા અને પ્રહ્લાદ નગર ચાર રસ્તા પર ફરીથી ડોમનાં તંબુ તાણી દેવાયા. સુરતમાં મ્યુનિસિપલ કમિશનક બંચ્છાનિધિ પાનીએ ગાઇડલાઇનના પાલની કડક ચેતવણી આપી છે

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 68 કેસ નોંધાયા. તેમાંથી 66 શહેર અને 2 અમદાવાદ ગ્રામ્યના છે. ફેબ્રુઆરીમાં છેલ્લા 21 દિવસમાં નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે. જ્યારે વડોદરામાં 65, સુરતમાં 47, રાજકોટમાં 22 કેસ નોંધાયા

(1:38 pm IST)