Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

બરવાળા પાસે રીક્ષા પલ્ટી ખાઇ જતા અમદાવાદના આધેડને કાળ ભેટ્યો વયા ગામના પાટિયા પાસે રીક્ષા પલ્ટી ખાઈ ગઈ : સારવાર દરમિયાન મોત

અમદાવાદ રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નિરંજનભાઈ રામેશ્વરભાઈ ભાવસાર નામના 45 વર્ષના આધેડ પોતાની રીક્ષા લઇ ફેરો કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ બરવાળા ગામના વયા ગામના પાટિયા પાસે નિરંજનભાઈ ભાવસારની જીજે-01-ટીડી-3893 નંબરની રીક્ષા પલ્ટી ખાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા આધેડનું મોત થયું હતું.

(10:56 am IST)