Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રાજ્યમાં ધોરણ ૩-૮ની સામયિક કસોટી મોકૂફ રાખવાનો આદેશ

અમદાવાદ, તા.૨૨: રાજય સરકારનો મોટો નિર્ણય, ધોરણ ૩-૮ની સામયિક કસોટી મોકૂફ રાખવાનો આદેશ

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં તેની સીધી અસર ફરીથી શિક્ષણ પર જોવા મળી છે. હાલમાં રાજય સરકાર દ્વારા ધોરણ ૩-૮ની સામયિક કસોટીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૭ અને ૨૮ એપ્રિલે યોજાનાર ધોરણ ૩-૮ના સામયિક કસોટી મોકૂફ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. GCERT દ્વારા આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. અગાઉ કોરોનાની સ્થિતિને અનુલક્ષીને રાજય સરકારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨દ્ગક બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. આ પરિક્ષાઓ અગાઉ ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી. જે વિદ્યાર્થીઓનાં હિતને જોતા હવે સ્થગિત રાખ આ ઉપરાંત રાજયમાં ધોરણ ૧ થી ૯ અને ધોરણ ૧૧માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશનનો લાભ આપવાનો મોટો નિર્ણય પણ રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે સમગ્ર રાજયમાં ધોરણ ૧ થી ૧૨ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ આગામી દસમી મે સુધી અથવા રાજય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે તેવો આદેશ કરવામાં આવ્યો હતો.

(3:16 pm IST)