Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રાજ્યમાં કોરોના બેકાબુ : રોજ નવા રેકોર્ડબ્રેક કેસ : અત્યાર સુધીના સર્વાધિક 13.105 પોઝિટિવ કેસ : વધુ 5.010 દર્દીઓ સ્વસ્થ થયા : 137 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 5877 થયો : કુલ 3.55.875 લોકોએ કોરોનાને હરાવ્યો :વધુ 1.42.537 લોકોનું રસીકરણ કરાયું:

અમદાવાદમાં 5226 કેસ,સુરતમાં 2476 કેસ,વડોદરામાં 781 કેસ, રાજકોટમાં 762 કેસ,જામનગરમાં 564 કેસ, મહેસાણામાં 444 કેસ, ગાંધીનગરમાં 276 કેસ, ભાવનગરમાં 254 કેસ, બનાસકાંઠામાં 236 કેસ, કચ્છમાં 214 કેસ,જૂનાગઢમાં 202 કેસ, પાટણમાં 158 કેસ, ભરૂચમાં 157 કેસ, ખેડામાં 114 કેસ, નવસારીમાં 107 કેસ,તાપીમાં 103 કેસ, દાહોદ અને પંચમહાલમાં 97-97 કેસ,વલસાડમાં 95 કેસ,સુરેન્દ્રનગરમાં 87 કેસ,અમરેલીમાં 85 કેસ,સાબરકાંઠામાં 84 કેસ,મહીસાગરમાં 77 કેસ,મોરબીમાં 66 કેસ, ગીર સોમનાથમાં 63 કેસ, અરવલ્લીમાં 55 કેસ,નર્મગમાં 52 કેસ નોંધાયા : હાલમાં 92,084 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં પહેલીવાર  આજે રાજ્યમાં 13,105 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ  5010 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 13,510 કેસ નોંધાયા છે જયારે વધુ 5010 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,55,875 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 137 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 5877 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 78,41 ટકા  થયો છે

 રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 23, અમદાવાદ કોર્પોરેશનમાં 23,વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 10સુરત, જામનગર કોર્પોરેશન,બનાસકાંઠાને સાબરકાંઠામાં 5-5, વડોદરા,જામનગર મોરબી અને રાજકોટમાં 4-4 મહેસાણા,ભાવનગર કોર્પોરેશન ભાવનગર,અને 3સુરેન્દ્રનગરમાં -3 ,ભરૂચ, ગાંધીનગર જૂનાગઢ કોર્પોરેશન , જૂનાગઢ અને ગીર સોમનાથમાં 2-2,દાહોદ, પંચમહાલ,વલસાડ,અમરેલી,અમદાવાદ, મહીસાગર, અરવલ્લી નર્મદામાં 1-1 મોત  મળીને કુલ 137 લોકોના મોત થયા છે  કુલ કુલ મૃત્યુઆંક 55877 થયો છે

    રાજ્યમાં હાલ 92,084 એક્ટિવ કેસ છે, જેમાંથી  376 લોકો વેન્ટિલેટર પર અને 91,708 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,55,875 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 91,51,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 17,07,297 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,08,59,073 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી  કુલ 53,393 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 81,836 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 13,105 કેસમાં અમદાવાદમાં 5226 કેસ,સુરતમાં 2476 કેસ,વડોદરામાં 781 કેસ, રાજકોટમાં 762 કેસ,જામનગરમાં 564 કેસ, મહેસાણામાં 444 કેસ, ગાંધીનગરમાં 276 કેસ, ભાવનગરમાં 254 કેસ, બનાસકાંઠામાં 236 કેસ, કચ્છમાં 214 કેસ,જૂનાગઢમાં 202 કેસ, પાટણમાં 158 કેસ, ભરૂચમાં 157 કેસ, ખેડામાં 114 કેસ, નવસારીમાં 107 કેસ,તાપીમાં 103 કેસ, દાહોદ અને પંચમહાલમાં 97-97 કેસ,વલસાડમાં 95 કેસ,સુરેન્દ્રનગરમાં 87 કેસ,અમરેલીમાં 85 કેસ,સાબરકાંઠામાં 84 કેસ,મહીસાગરમાં 77 કેસ,મોરબીમાં 66 કેસ, ગીર સોમનાથમાં 63 કેસ,અરવલ્લીમાં 55 કેસ,નર્મગમાં 52 કેસ નોંધાયા છે

(7:41 pm IST)