Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ બ્રિજ પાસે આવેલા તલાશનગર નજીક JCBની ટક્કરે દીવાલ ધરાશાયી : 3 દટાયા

દીવાલ પાસે ઊભેલા પિતા-પુત્રીનું કરુણ મોત નિપજ્યું : ફાયરબ્રિગેડની 2 ગાડીઓ અને ફાયરના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્‍યા

અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ બ્રિજ પાસે આવેલા તલાશનગર નજીક બપોરના સમયે JCBની ટક્કરે એક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ પડતાં તેની નીચે 3 લોકો દટાઈ ગયા હતા. જેમાં દીવાલ પાસે ઊભેલા પિતા-પુત્રીનું કરુણ મોત નિપજ્યું હતું. જે ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 2 ગાડીઓ અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચવા રવાના થયા હતા. બીજી તરફ ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ દટાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલ્યા હતા.

જાણકારી મુજબ ખોખરા-કાંકરિયાને જોડતા અનુપમ ઓવરબ્રિજ નજીક સલાટનગર વસાહત ખાતે કરુણ દુર્ઘટના ઘટી હતી. જેમાં JCB મશીનની ટક્કર વાગતા એદ દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દરમિયાન દીવાલની પાસે ઉભેલા 3 જેટલા લોકો તેમાં દટાઈ ગયા હતા. જેમાં હવા ખાા પિતા-પુત્રીનું કાટમાળમાં દટાઈ જતા થયેલી ઈજાઓથી મોત નિપજ્યું છે.

ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચ્યા હતો

ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચ્યા હતો

ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો, જેથી રોષે ભરાયેલા લોકોએ JCB પર પથ્થરમારો કર્યો હતો. લોકોના રોષથી ગભરાઈ ગયેલો ચાલક જીવ બચાવવા ત્યાં જ JCB મૂકીને ભાગી ગયો હતો. ઘટનાને પગલે મેયર પણ એલ.જી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચી ગયા હતા.

(11:22 am IST)