Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત : ઊભેલી ટ્રકમાં ઇકો ઘૂસી જતા 3 લોકોના મોત : 5 લોકો ઘાયલ

સોની પરિવારને ગંભીર અક્સમાતથી હાઈવે મરણચીસોથી ગુંજી ઊઠ્યો : ધડાકાભેર અથડાતા કારના ફુરચા ઊડી ગયા

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતાં હાઈવે મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત અને 5 લોકો ઘાયલ થયા છે.

  આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે રોડની સાઈડમાં બંધ પડેલી ટ્રકમાં એક ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે કારના ફુરચા ઊડી ગયા હતા. કારની અંદર સવાર 3નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક મહિલા અને બે કિશોરી છે

મૃતકમાં (1.) ટીશાબેન હરીશભાઈ સોની (ઉ. વ. 41), (2.) જીકીશાબેન હરીશભાઈ સોની (ઉ. વ. 15) અને (3.) નૈયનાબેન નારણભાઈ સોની (ઉ. વ. 17) જયારે ઈજાગ્રસ્તમાં (1.) હરીશભાઈ કેશમરલજી સોની (ઉ. વ. 45, ચાલક),(2.) લાખસિંહ હરીશભાઈ સોની (ઉ. વ. 10) (3.) યશકુમાર હરીશભાઈ સોની (ઉ. વ. 4),(4.) મીરાબેન કેશમરલજી સોની (ઉ. વ. 75)
( 5.) જીગરભાઈ નારણભાઈ સોની (ઉ. વ. 15)નો સમાવેશ થાય છે

(7:03 pm IST)