Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

મહેમદાવાદ તાલુકાના નેનપુર હનુમાનજી મંદિર નજીક રીક્ષા પલ્ટી ખાતા યુવાને ઘટનાસ્થળેજ દમ તોડ્યો

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના નેનપુર હનુમાનજી મંદિર સામે એક રિક્ષાચાલકે પોતાની રિક્ષા બેફિકરાઈ અને પુરઝડપે હંકારી અચાનક બ્રેક મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં બેઠેલ એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

મહેમદાવાદ તાલુકાના નેનપુર ખાતે ચતુરભાઈ નરોત્તમભાઈ તડવી રહે છે. તેઓ પરિવારના સભ્યો તથા કુટુંબી ભત્રીજા નિખિલ કુમાર (ઉંમર વર્ષ ૧૭) સાથે ભીખાભાઈ સોલંકીની રિક્ષા લઇ કુણા બળિયાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. દરમિયાન પરત ફરતા ભીખાભાઈ અને ભત્રીજો નિખિલ ગેસ પુરાવા માટે આમસરણ ગયા હતા. બાકીના લોકો નેનપુર ચોકડી એ ઉતરી ગયા હતા. દરમિયાન રિક્ષા ચાલકે પોતાની રીક્ષા બેફિકરાઈ અને પુરઝડપે હંકારી અચાનક બ્રેક મારતા રીક્ષા રોડ પર પલટી ખાઇ રોડની સાઈડે ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં નિખિલ (ઉંમર વર્ષ ૧૭) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ભીખાભાઈને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે ચતુરભાઈ તડવીની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:29 pm IST)