Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

અમદાવાદમાં કોરોનાનો ફૂફાડો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 407 નવા કેસ નોંધાયા:વધુ 190 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,15.806 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 55.638 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1741 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 407 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 190 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.15.806 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.97 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 55.638 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.10.21.457 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 1741 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર છે,અને અને 1737 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 407 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 207 કેસ,સુરત કોર્પોરેશનમાં 45 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 39 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 17 કેસ, સુરતમાં 12 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 11 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 10 કેસ, વલસાડમાં 8 કેસ, ભરૂચ અને જામનગર કોર્પોરેશનમાં 7-7 કેસ, આણંદ અને ગાંધીનગરમાં 6-6 કેસ, સાબરકાંઠામાં 5 કેસ, બનાસકાંઠા,કચ્છ અને મહેસાણામાં 4-4 કેસ, અમદાવાદ,અને રાજકોરમાં 3-3 કેસ, જામનગર, નવસારી,અને વડોદરામાં 2-2 કેસ, અમરેલી ,પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:03 pm IST)