Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

24 જુલાઇની વેરાવળ-પુણેની વિશેષ ટ્રેન રદ કરાઈ

ઇગતપુરી-કલ્યાણ અને લોનાવાલા-કલ્યાણ વિભાગમાં ભૂસ્ખલનને કારણે રદ

22 જુલાઈ 2021 ના રોજ પૂણેથી ચાલતી ટ્રેન નંબર 01088 પૂણે-વેરાવળ સ્પેશિયલ, મધ્ય રેલ્વેના મુંબઇ વિભાગમાં સ્થિત ઇગતપુરી-કલ્યાણ અને લોનાવાલા-કલ્યાણ વિભાગમાં ભૂસ્ખલનને કારણે રદ કરવામાં આવી છે.

 રાજકોટ વિભાગના વરિષ્ઠ ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર 24 જુલાઇ, 2021 ના રોજ વેરાવળથી દોડતી ટ્રેન નંબર 01087 વેરાવળ-પુણે સ્પેશિયલ પ્રાપ્યતા ન હોવાને કારણે રદ કરવામાં આવી છે. મુસાફરોને થતી અસુવિધા બદલ રેલવે પ્રશાસન દુ: ખી છે તેમ અભિનવ જેફ, સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર, પશ્ચિમ રેલ્વે, રાજકોટ વિભાગ(. 0281-2458262) દ્વારા જણાવાયું છે

(8:15 pm IST)