Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા બની રહેલા સ્મશાન માટે બારોટ સમાજે રૂ.1.33 લાખનું દાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળા દ્વારા આકાર લઈ રહેલા ગેસ આધારિત સ્મશાન માટે ની કામગીરી માટે દાનવીરો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેમાં અગાઉ ઘણા દાતાઓ એ દાન આપ્યા બાદ હાલમાં સમસ્ત બારોટ સમાજ, રાજપીપળા દ્વારા પણ આ સ્મશાન ની કામગીરી માટે રૂપિયા 1.33.501નું દાન આપ્યું હોય સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના હોદેદારો એ બારોટ સમાજના હોદેદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.
સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા ને ગેસ આધારિત સ્મશાન ગૃહના નિર્માણ માટેની કામગીરી માટે એક બાદ એક દાનનો પ્રવાહ મળતા હાલ આ સ્મશાન ની કામગીરી ઝડપી ચાલી રહી છે માટે નજીકના સમયમાં રાજપીપળા માં એક અદ્યતન સ્મશાન ગૃહ તૈયાર થશે.

(10:28 pm IST)