Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ઓછી :જો આવશે તો તેને પહોંચી વળવા સરકાર સજ્જ : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ

લોકો પણ એવું માનવા લાગ્યા છે કે કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો

અમદાવાદ :  કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહિવત છે. આ દાવો રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કર્યો છે..તેમણે કહ્યું કે રાજ્ય સહિત દેશભરમાં મોટાપાયે રસીકરણ થઈ રહ્યું છે. લોકો પણ એવું માનવા લાગ્યા છે કે કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. સીરો સર્વે પણ થઈ રહ્યા છે.. તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહીવત છે..અને જો કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તેને પહોંચી વળવા માટે સરકાર સજ્જ છે. OPDથી લઈ સર્જરી સુધીની સુવિધા સાથે હોસ્પિટલો સજ્જ છે

(12:40 am IST)