Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જયપુરથી અમદાવાદ આવતી લઝકરી બસ પલ્ટી : એકનું કરૂણમોત: સાત લોકો ઘાયલ

ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી :ઘાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદ :ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસ જયપુરથી અમદાવાદ આવવા નીકળી હતી. ત્યારે આ લક્ઝરી બસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી.

બસ પલટી મારતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જયારે બસમાં સવાર 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયામાં આવ્યા છે. રાજસ્થાનની આબુરોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં બસ પલટી હોવાનું અનુમાન લાગવામાં અવી રહ્યું છે.

(11:38 am IST)