Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં

સંઘ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ સરકાર્યવાહજી ભૈયાશી જોષી સાથે મુલાકાત : ગ્રંથ પ્રાગટય અવસર" પર પ્રમુખ સ્થાને હાજરી આપશે

રાજકોટ તા.૨૨ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી આજે રાજકોટમાં બપોરે 4.00 કલાકે સંઘ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ સરકાર્યવાહજી ભૈયાશી જોષી સાથે મુલાકાત કરશે.

ત્યાર બાદ સાંજે 6.00 કલાકે યોજાનાર "ગ્રંથ પ્રાગટય અવસર" પર પ્રમુખ સ્થાને હાજરી આપશે. 

 

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટના ઉપક્રમે હેમુ ગઢવી સભાગૃહ ખાતે યોજાનાર પ્રવિણકાકા વ્યક્તિત્વ અને કર્તુત્વ ગ્રંથનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહજી ભૈયાશી જોષી દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે.

(4:22 pm IST)