Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અમદાવાદ કોર્પોરેશનનું મોટું પગલું: ઈલેકટ્રીક વાહનો માટે ૩૦૦ ચાર્જિંગ પોઈન્ટ બનાવશે

અમદાવાદ, તા.૨ર : વર્તમાન સમયમાં ઇલેકટ્રીક વાહનોના ઉપયોગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. અને તેમા પણ પર્યાવરણના જતન અને વાયુ પ્રદૂષણને ધ્યાને રાખી કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ ઉપર ભાર મૂકી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ દિશામાં નક્કર પોલીસી ઘડી આગળ વધવાનુ નક્કી કર્યુ છે. જે અંતર્ગત ઇલેકટ્રીક વાહન ર્ચાજિંગ પોલીસીને એએમસીની કારોબારી સમિતી સમક્ષ મૂકવામાં આવી છે, જે અંગે આવતીકાલે મળનારી બેઠકમાં આખરી નિર્ણય કરવામાં આવશે.

નોંધનીય છે કે, પર્યાવરણના જતન અને પ્રદૂષણ ઘટાડવાના હેતુથી કેન્દ્ર અને રાજય સરકારે ઈલેકટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા નિતી જાહેર કરી છે. જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ઈલેકટ્રીક વાહન ર્ચાજિંગ પોલિસી-૨૦૨૧ તૈયાર કરી છે. જે અંતર્ગત આવનારા ત્રણ મહિનામાં શહેરમાં અલગ અલગ ૩૦૦ સ્થળોએ ઈલેકટ્રિક વાહનોના ર્ચાજિંગ માટે સ્ટેશન બનાવવા માટેના લોકેશન નક્કી કરવામાં આવશે. ર્ચાજિંગ સ્ટેશન બનાવવા માટે એએમસી તરફથી એક રૂપિયાના ટોકન ભાડાથી ચોરસ મીટરના ભાડુ નકકી કરી જગ્યા ફાળવવામાં આવશે. જેમાં સ્થળ ઉપર નિયત કરેલા ચાર્જર લગાવવાના રહેશે અને તમામ લોકેશનોનો મેપ તૈયાર કરી તેને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર પણ મુકવામાં આવશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારે ઈલેકિટ્રક વ્હીકલને પ્રોત્સાહન આપવા બનાવેલી નીતિને ધ્યાને લઇ શહેરમાં ભવિષ્યમાં નવા બનનાર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ઈલેકિટ્રક વાહન માટે ર્ચાજિંગ પોઈન્ટ રાખવા ફરજિયાત બનાવશે. આ માટે જીડીસીઆરમાં સુધારો કરાશે. જેમાં આ નવી બિલ્ડિંગમાં હવે ઇલેકિટ્રક વાહનોને અનુકૂળ હોય તેવી ર્પાકિંગ વ્યવસ્થા હશે. એટલે કે ર્પાકિંગમાં ર્ચાજિંગ સ્ટેશન ઉભા કરવાની નવી નીતિ આવી શકે છે. આ ઉપરાંત આગામી ૯૦ દિવસમાં જ શહેરમાં ૩૦૦ સ્થળે ઈલેકિટ્રક વ્હીકલ ર્ચાજિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.

(4:00 pm IST)