Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જીતુ સુખડિયા અને શૈલેષ પરમારનું શ્રેષ્‍ઠ ધારાસભ્‍ય તરીકે સન્‍માન

ગૃહમાં અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય દ્વારા જાહેરાત

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. રર :  આજે વિધાનસભા ગૃહની  કામગીરી શરૂ થતા વિધાનસભાના અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય દ્વારા વર્ષ-ર૦ર૧ અને વર્ષ-ર૦રર ના વર્ષમાં શ્રેષ્‍ઠ કામગીરી બદલ ધારાસભ્‍યોને ટ્રોફી આપવામાં આવી છે.  આજે જે બે ધારાસભ્‍યોને શ્રેષ્‍ઠ ધારાસભ્‍યનો એવોર્ડ આપવામાં આવ્‍યો તેમાં ભાજપના જીતુ સુખડીયા અને કોંગ્રેસમાંથી શૈલેષ પરમારનો સમાવેશ થાય છે.

આ અગાઉ ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અને મોહનસિંહ રાઠવાને આ એવોર્ડથી સન્‍માનનિત કરવામાં આવ્‍યા હતાં.

(11:41 am IST)