Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કાલે અમદાવાદમાં આચાર્ય ધર્મેન્‍દ્રજીની શ્રધ્‍ધાંજલી સભા

રાજકોટ,તા.૨૨: પંચખંડ પીઠાધિશ્વર હિન્‍દુત્‍વ અને હિંદુરાષ્‍ટ્રના હિમાયતી અગ્રણી તેમજ શ્રી રામ મંદિર નિર્માણના પ્રહરી, પ્રખર વકતા આચાર્યશ્રી ધર્મેન્‍દ્રજી મહારાજે અંતિમ વિદાય લીધી છે. સદ્‌ગતના આત્‍માની શાંતિ માટે જાહેર શ્રધ્‍ધાંજલિ અને પ્રાર્થના કાલે સભા૨૩/૯ સાંજે ૪-૦૦થી  ૬-૦૦ વાગે શ્રી જગન્નાથજી મંદિર, જમાલપુર ખાતે રાખવામાં આવેલ છે. કાર્યક્રમબાદ સૌ માટે પ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ હોવાનું મંદિર ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયુ છે.

(3:44 pm IST)