Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

‘લમ્‍પી'થી અનેક ગાયોના મોતઃ માલધારીઓને વળતર આપવા ગૃહમાં કોંગી સભ્‍યોની માંગણી

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. રર : આજે વિધાનસભા ખાતે વિપક્ષના પુંજાભાઇ વંશે પત્રકાર સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે લમ્‍પી વાયરસના કારણે પશુ પક્ષીઓ અને ગાયમતાને ઘણું નુકશાન થયું છે કેટલીય ગાયોના મૃત્‍યુ થયા છે.

જે ગાયમાતાના મૃત્‍યુ થયા છે તે માલધારીઓને યોગ્‍ય વળતર આપવું જોઇએ ઉપરાંત કોરોનામાં મૃત્‍યુ પામેલ લોકોના પરિવારજનોને પણ યોગ્‍ય વળતર આપવુ જોઇએ તેવી મારી માંગણી છ.ે

આ બાબતે મે ટુંકી મુદતનો પ્રશ્ન ઉપસ્‍થિત કર્યો હતો. પરંતુ મંત્રીએ પરવાનગી ન આપી માટે મારે આ પત્રકાર પરિષદ બોલવવી પડી આજ મુદ્દે કોંગ્રેસના ગેનીબેન દ્વારા બનાસકાંઠામાં ગાય માતાને આ મ્‍પી વાયરસની અસર થઇ છે તો સરકાર સર્વે કરી આ વાયરસ રોકવા પ્રયત્‍નો કરવા જોઇએ છે.

(3:54 pm IST)