Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વિરમગામ નગરપાલીકા દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ નગરપાલીકા દ્વારા શુક્રવારે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન સહીતના કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા હતા વિરમગામ નગરપાલિકા દ્વારા (સ્વ.જ.મુ.મં.વિ. સડક યોજના) હેઠળ રસ્તાઓના વિકાસના કામો નાગરીકોની સુખાકારી માટે હાથ ધરવામાં આવ્યા છે.  રૈયાપુર ત્રણ રસ્તાથી ભરવાડી દરવાજા તરફના રસ્તાનું કામ – રૂ.૩૫.૮૦ લાખ,  રોટરી સર્કલથી નિલકી બ્રીજના છેડા સુધી રસ્તાનું કામ રૂ.૧૫.૧૯ લાખ અને ગોલવાડી દરવાજાથી બસસ્ટેન્ડ થઇ ભરવાડી દરવાજા સુધી રસ્તાનું કામ - રૂ.૩૫.૦૦ લાખના ખર્ચે બનનાર રસ્તાઓનુ ખાતમુર્હુત કરવામાં આવ્યું છે.

(8:11 pm IST)