Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રીનું કોરોનાથી નિધન : બાયડના ગાબટના ધીમંતભાઈ પટેલને કોરોના ભરખી ગયો

ભાજપના નેતાના નિધનને પગલે અરવલ્લી ભાજપમાં શોકની લાગણી

બાયડઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. તેમજ કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતના વધુ એક ભાજપના નેતાનો કોરોનાએ ભોગ લીધો છે. અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રીનું કોરોનાથી નિધન થયું છે. ભાજપના નેતાના નિધનને પગલે અરવલ્લી ભાજપમાં શોકની લાગણી ફરી વળી છે.

બાયડના ગાબટના વતની ધીમંતભાઈ પટેલનું કોરોનાથી મોત થયું છે. દોઢ મહિનાની લાંબી માંદગી બાદ અમદાવાદ ખાતે નિધન થયું છે. અરવલ્લી ભાજપ સંગઠને વધુ એક નેતા ગુમાવ્યા છે.

(12:42 pm IST)