Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમદાવાદમાં કોરોના વોરીયર્સ ડોકટર્સ મિલન :

લોહાણા લગ્ન સગાઇ તથા સંસ્કાર અને સંસ્કૃતિ સેતુ દ્વારા કોરોના વોરિયર્સ ડોકટર્સ માટે અમદાવાદમાં એક મિલન સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. બધી જ્ઞાતિના ડોકટર્સને એક છત્ર નીચે લાવતા આ કાર્યક્રમમાં કોઇ સ્ટેજ કાર્યક્રમ કે કોઇ બિલ્લો લગાવ્યા વગર રાઉન્ડ ધ ટેબલ કાર્યક્રમ રખાયો હતો. ગુજરાત ઓર્થોપેડીક  એસોસીએશનના પ્રમુખ ડો. નવીનભાઇ ઠકકર (ઓર્થો સર્જન), લાયન્સ કલબના ઘનશ્યામભાઇ ઠકકર તથા વિવિધ હોદેદારો ઉપસ્થિત રહેલ અને સંસ્થાની ડોકટર્સ પ્રત્યેની સેવાને બિરદાવી હતી. સુપર સ્પેશ્યાલીટી અભ્યાસ કરતા યુવા તબીબો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. સંસ્થાના પ્રમુખ કિશોર ઠકકર (મો.૯૪૮૪૮ ૬૧૦૨૦) એ જણાવેલ કે વર્ષમાં આવા ચાર કાર્યક્રમો આપવાની નેમ રખાઇ છે. વધુને વધુ સભ્યો જોડાય તેવુ આહવાન કરેલ.

(2:36 pm IST)