Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

નડિયાદ રેલવે સ્ટેશનથી પસાર થતી માલગાડીની હડફેટે પુરુષનું મોત નિપજતા ચકચાર

નડિયાદ : નડિયાદ રેલ્વે સ્ટેશનથી પસાર થતી એક માલગાડીની અડફેટે એક પુરુષનુ મૃત્યુ નિપજયુ છે.આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર શનિવારની મોડી સાંજે  નડિયાદ રેલ્વે સ્ટેશનથી પસાર થતી એક માલગાડીની અડફેટે આશરે ૫૦ વર્ષીય પુરુષનુ મૃત્યુ નિપજયુ છે.આ બનાવની જાણ નડિયાદ રેલ્વે પોલીસને થતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોચી પુરુષના મૃતદેહનો કબ્જો મેળવી હોસ્પિટલમાં પી. એમ માટે મોકલવામાં આવ્યો હતો.મૃતકના જમણા હાથે ટેટુ તોફાવ્યુ છે.

(5:54 pm IST)