Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

નડિયાદ તાલુકાના કણજરી લક્ષ્મીપુરા વિસ્તારમાં રસ્તો ઓળંગતા યુવાનને વાહને હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ: તાલુકાના કણજરી લક્ષ્મીપુરા ખોડીયાર મંદિર પાસે રહેતો મનીષ ડાહ્યાભાઈ પરમાર ગઈ કાલે શનિવારે રાત્રે આઠ વાગ્યે જમી લીધા બાદ પાન મસાલો ખાવા જતો હતો ત્યારે બુટ તલાવડી નાકા નજીક ચકલાસી તરફથી આવી કણજરી ચોકડી બાજુ પૂરઝડપે જતો અજાણ્યો વાહન ટક્કર મારી નાસી ગયો હતો.જેથી રોડ પર પટકાયેલ મનીષભાઈને શરીર પર ઇજા થતાં બેભાન થઈ ઢળી પડયા હતા. 

બનાવને કારણે આજુબાજુના લોકો એ દોડી આવી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી મનીષભાઇ (ઉં.વ.૩૦)ને સારવાર માટે નડિયાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મનીષભાઈ પરમારની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.

છેલ્લા ઘણા સમયથી તાલુકામાં વાહનની ટક્કરે ઇજા પહોંચાડવાના કિસ્સા વધ્યાં છે. જાહેર માર્ગો પર બેફામ દોડી રહેલા વાહનચાલકોને તંત્રનો કોઇ ભય ન હોય તેમ પુરઝડપમાં વાહનો હંકારી રહ્યાં છે. 

(5:55 pm IST)