Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુવાળા ગામ સમસ્ત તરફથી ઘાસચારાનું દાન કરવામાં આવ્યું

સુવાળા ગામ સમસ્ત તરફથી 125000ના ઘાસચારાનું રામપુરા તથા ઉઘરોજ પાંજરાપોળમાં દાન કરવામાં આવ્યું

dir="ltr">

 
   ફોટો vhp
(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સુવાળા ગામ સમસ્ત તરફથી ઘાસચારાનું દાન કરવામાં આવ્યું હતું.  સુવાળા ગામ સમસ્ત તરફથી 125000 ના ઘાસચારાનું દાન રામપુરા તથા ઉઘરોજ પાંજરાપોળમાં કરવામાં આવ્યું હતું. રામપુરા પાંજરાપોળ સંસ્થા તરફથી આવેલા કાર્યકર્તાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. સુવાળા ગામ સમસ્તે ઉત્તમ જીવદયા નું ઉદાહરણ પૂરું પાડેલ છે. રામપુરા પાંજરાપોળના ટ્રસ્ટી હસમુખભાઈ શાહે આવેલા કાર્યકર્તા નું સન્માન કર્યું‌ અને સુવાળા ગામ સમસ્તનો આભાર વ્યક્ત કર્યો હતો. (તસવીર : ચૈતન્ય સતીશપ્રસાદ ભટ્ટ - રામપુરા)
(6:47 pm IST)