Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાજપીપળા રામગઢને જોડતા પુલની કામગીરીમાં માટીના ઢગલા નાંખ્યા બાદ ત્રણ દિવસથી કોઈ કામગીરી થતી નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળાથી રામગઢ જતા પુલનો પીલ્લર બેસી ગયા બાદ ઘણા દિવસો પછી પુલનું કામ શરૂ કરાયું હોય તેમ બંને તરફ માટીના ઢગલા નાંખતા મોટા વાહનો જતા બંધ થયા હતા પરંતુ ત્યારબાદ ત્રણ ચાર દિવસ થવા છતાં આ પુલ પર કોઈજ સમારકામ થતું જણાતું નથી માટે જાણે નાટયાત્મક કામગીરી બતાવવા માટીના ઢગ કરવામાં આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.જોકે આ બાબતે અમે ચાર દિવસથી માર્ગ મકાન વિભાગના ઇજનેરનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કરીએ છીએ પરંતુ તેઓ ફોન ઉપડતા નથી ત્યારે કરોડોના ખર્ચે બનેલો આ પુલ વહેલી તકે શરૂ કરાઇ અને યોગ્ય કામગીરી કરાય તેવી માંગ છે.

(10:11 pm IST)