Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

સુરતમાં પાટીદારોનો સહકાર નહિ મળતા કોંગ્રેસનો સફાયો : ભાજપનો 93 બેઠક પર વિજય : 27 સીટ સાથે આપનો ઉદય

કોંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરોએ તોડફોડ કરી : 30 વોર્ડમાંથી 21માં ભાજપની પેનલ જીતી : કોંગ્રેસથી પાસ વિમુખ થતાં આપને ફાયદો

સુરત મનપામાં આઝાદી પછી પહેલી વાર કોંગ્રેસને ચૂંટણીમાં એક પણ બેઠક મળી નહીં. પહેલીવાર ગુજરાતમાં એન્ટ્રી કરનારી આપને 27 બેઠકો મળી. 120 બેઠકોની મહાનગર પાલિકામાં ભાજપે સપાટો બોલાવી 93 બેઠકો પર કબજો કરી લીધો છે .

કોંગ્રેસને પાસ સાથે દુશ્મની મોંઘી પડી છે. જેને કારણે તેનો રકાસ થયો. આવી શરમજનક હાર બાદ લોકોમાં એવી ચર્ચા થવા લાગી હતી કે કોંગ્રેસે હવે સંન્યાસ લઇ લેવું જોઇએ.સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. કોંગ્રેસ સામે પાટિદારોના વિરોધનો ફાયદો આપને જ નહીં ભાજપને પણ થયો. અલબત્ત કોંગ્રેસનો સફાયો કરવામાં આપે મહત્વનો ફાળો આપ્યો.

(9:18 pm IST)