Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પોઇચા નીલકંઠ ધામ મંદિરે દર્શનાર્થે આવેલા સુરતના મિત્રો પૈકી એક મિત્ર નર્મદા નદીમાં ડૂબી જતાં શોધખોળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામની નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા સુરતના યુવાન ડૂબી જતાં તેની શોધખોળ કરાઈ રહી છે
પ્રાપ્ત માહિતી મુજબ સુરતનાં પુણા તરફ રહેતા અને મિત્રો સાથે પોઇચા નીલકંઠ ધામ મંદિરે દર્શનાર્થે આવેલા વિનોદભાઈ વર્જાંગભાઈ વંશ (35) તથા અન્ય મિત્રો નીલકંઠ ધામ મંદિરે દર્શન કરતાં પહેલાં નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા જે પૈકી વિનોદભાઈ વંશ સ્નાન કરતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બૂમાબૂમ કરી પરંતુ અન્ય મિત્રો કઈ કરે એ પહેલાં તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ સ્થાનિકો એ રાજપીપળા નગર પાલિકાના ફાયર વિભાગના જાણ કરતા ફાયર ની ટીમે આ યુવાનની શોધખોળ શરૂ કરી છે ત્યારે હાલમાં રાજપીપળા પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે.આ લખાઈ છે ત્યારે સાંજે પાચ વાગ્યા સુધી આ યુવકની કોઈ ભાળ મળી નથી.

(11:59 pm IST)