Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ચાલુ વર્ષે કોરોના સંદર્ભે ન્યાયાધીશોની બદલીઓની જરૂર નથીઃ ગુજરાત હાઇકોર્ટ

નીચેની અદાલતોમાં સામાન્ય બદલીની જરૂર નથી

અમદાવાદ તા. ર૩ :.. કોરોના વાઇરસે સર્જેલી પરિસ્થિતિના કારણે નીચલી અદાલતોના જયુડીશીયલ અધિકારીઓની વર્ષ -ર૦ર૧ ની વાર્ષિક સામાન્ય બદલી ન કરવાનો નિર્ણય હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા લેવામાં આવ્યો છે.

હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે  કે કોરોના મહામારીએ સર્જેલી કેટલાંક સંજોગોના કારણે હાઇકોર્ટ દ્વારા નકકી કરવામાં આવ્યું છે કે તાબાની અદાલતોના જયુડીશીયલ અધિકારીઓની વર્ષ -ર૦ર૧ ની વાર્ષિક સામાન્ય બદલીની પ્રક્રિયા હાથ ધરવી જરૂરી નથી.

દરેક કોર્ટના પ્રીન્સીપાલ જયુડીશીયલ અધિકારીઓ તેમની હેઠળના જયુડીશીયલ અધિકારીઓને આ અંગે જાણકારી આપે તેવી સૂચના ચીફ જસ્ટિસ દ્વારા આપવામાં આવી છે.

(11:39 am IST)